Vima Lokpal Yojana : દરેક પરિવારમાં આર્થિક સુરક્ષાના હેતુથી વીમા પોલીસી લેવામાં આવે છે, જેમ કે આરોગ્ય વિષય પોલીસી, વ્હીકલ પોલીસી અને જીવન વીમા પોલીસી વીમા કંપનીઓ દ્વારા આપવામાં આવે છે. આ પોલીસીઓ આપાતકાલીન પરિસ્થિતિમાં આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. દરેક નાગરીકે એ જાણી લેવું જરૂરી છે કે, વીમા પોલીસી લેતાં પહેલાં વીમા કંપની વિરુદ્ધ કોઇ ગ્રાહકે ફરીયાદ દાખલ કરાવી છે કે કેમ, જો એમ લાગે કે કોઇ વીમા કંપની પ્રસ્તાવનું પાલન કરવામાં, પોલીસીની સેવા કરવામાં કે પોલીસીના દાવાનું પાલન કરવામાં ચૂકી ગઇ છે અથવા તો બેદરકારી દાખવી છે, તો કંપની વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરી શકાય છે. જેના માટે સરકારશ્રીએ વીમા પોલીસી ધારકને પડતી મુશ્કેલીઓ નિવારણ હેતુ માટેની વીમા લોકપાલ યોજના અમલમાં મૂકેલ છે.
નાગરીકો પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે, બચત માટે, પોતાના બાળકોના અભ્યાસ વિગેરે ખર્ચાઓને પહોંચી વળવા માટે અનેકવિધ પોલીસીઓ જુદી જુદી વીમા કંપનીઓ પાસેથી લે છે. જીવન વીમાનું મહત્વ વધતું જાય છે. આ પોલીસીઓના વીમાના પ્રીમીયમ ભરવા, પાકતી મુદત પહેલાં તેનો લાભ લેવામાં તથા પાકતી મુદત વખતે નાગરીકોને તકલીફો પડે છે, વારંવાર ધક્કાઓ ખાવા પડે છે. આ પોલીસીના લાભ મેળવવામાં પડતી મુશ્કેલીઓ નિવારવા સરકારશ્રીએ વિમા લોકપાલ, વીમા સંબંધિત ફરિયાદો મફતમાં હલ કરવા માટે વૈકલ્પિક ફરિયાદ નિવારણ ફોરમ / મંચની રચના કરેલ છે. વીમા લોકપાલ યોજના અંતર્ગત દેશમાં જુદાજુદા શહેરોમાં વીમા લોકપાલ કાર્યાલય / કચેરી કાર્યરત કરેલ છે.
વીમા લોકપાલ સંસ્થાની સ્થાપના ૧૧ નવેમ્બર, ૧૯૯૮ ના દિવસે કરવામાં આવેલ છે અને આજ દિવસે ભારત સરકારે ‘‘જાહેર ફરિયાદ નિવારણ નિયમો’ કરેલ છે. વીમા લોકપાલ એ અર્ધ ન્યાયિક ફરીયાદ નિવારણ (Quasi-Judicial Authority) તંત્ર છે જે વીમાદારની જીવન વીમા કે સામાન્ય વીમા કંપનીઓ સામેની ફરીયાદોનું નિવારણ કરે છે, તેનો મુખ્ય ઉદ્દેશ વીમા અંગેની ફરીયાદોનું વાજબી, કાર્યક્ષમ અને નિષ્પક્ષ રીતે નિવારણ લાવવાનું છે.
ભારત સરકારે ‘‘ઇન્શ્યોરન્સ ઓમ્બડ્સમેન રૂલ્સ-ર૦૧૭’’ ના નવા નિયમો બનાવેલ છે. આ નવા નિયમોનો હેતુ વ્યક્તિગત વીમા, જૂથ વીમા, સંપૂર્ણ માલિકી હક્ક ધરાવનાર કે સૂક્ષ્મ સાહસ ધરાવનારાઓની વીમા કંપનીઓ, તેમના એજન્ટો કે વચેટિયાઓ સામેની ફરિયાદોનો વાજબી અને નિષ્પક્ષ રીતે નિવારણ કરવાનો છે.
‘‘ એક્ઝીકયુટીવ કાઉન્સિલ ઓફ ઇન્સ્યુરન્સ’ જે પહેલાં ‘‘ગર્વનિંગ બોડી ઓફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ’’ તરીકે ઓળખાતી હતી, તેની સ્થાપનાથી વીમા લોકપાલ કાર્યાલયોને વહીવટી આધાર પૂરો પાડવામાં આવે છે.
Procedure to be taken before complaint to Insurance Ombudsman [વીમા લોકપાલમાં ફરીયાદ કરતાં પહેલાં કરવાની કાર્યવાહી] :-
- વીમા સંબંધિત જે કોઇ નાગરીકની ફરીયાદ હોય તો તેઓએ પ્રથમ સંબંધિત વીમા કંપનીની કચેરીનો સંપર્ક સાધી નિવારણ હેતુ રજૂઆત કરવી તેમજ તેઓએ જે વીમા બ્રોકર / એજન્ટ મારફતે પોલીસી લીધેલ હોય તેઓને ફરીયાદ / મૂંઝવણનો ઉકેલ લાવવા વિનંતી કરવી.
- જો તમોએ કરેલ રજૂઆતથી ૧પ દિવસમાં આપની સમસ્યાનો ઉકેલ આવેલ ન હોય, વીમા કંપનીની કાર્યવાહીથી સંતુષ્ઠ ન હોવ તો, આપ જે રાજ્યમાંથી વીમા પોલીસી લીધેલ હોય / જે રાજ્યમાં રહેતા હોય તે રાજ્યની વીમા લોકપાલની કચેરી / ઓફીસ / કાર્યાલયનો સંપર્ક સાધો.
- વીમા લોકપાલની કચેરીના અધિકારીને તમારી સમસ્યા જણાવો અને માર્ગદર્શન આપવા વિનંતી કરો.
How do I file a complaint with the Insurance Ombudsman? |વીમા લોકપાલને કઇ કઇ બાબતે ફરીયાદ કરી શકાય.
- ભારતમાં વીમા કંપનીઓ દ્વારા જારી કરાયેલ જીવન વીમો, સામાન્ય વીમો અથવા આરોગ્ય વીમા પોલીસી સંબંધિત હોવી જોઇએ.
- વીમાની અંગત રેખાઓ, જૂથ વીમા પોલીસીઓ અથવા એકમાત્ર માલીકીની પેઢીઓ અને સૂક્ષ્મ સાહસોને જારી કરાયેલી પોલીસીઓને સંબંધિત હોવી જોઇએ.
- પોલીસીધારક પોતે / તેના / તેણીના કાયદેસરના વારસદાર અથવા અસાઇની અથવા નોમિની દ્વારા પોલીસીમાં નોંધ્યા મુજબ બનાવી શકાય છે.
- વીમા કંપની દ્વાારા સંપૂર્ણ અથવા આંંશિક રીતે નકારી કાઢેલી સમસ્યા સાથે સંબંધિત હોવી જોઇએ.
- વીમા કંપનીના અસ્વીકારની તારીખથી એક વર્ષની અંદર કરવામાં આવેલી હોવી જોઇએ.
- અન્ય કોઇપણ ફોરમમાં કેસ ચાલી રહ્યો હોય અથવા જે કેસ હેઠળ છે તેના પર ફરીયાદ થઇ શકે નહીં.
Ways to submit/lodge the complaint
Online ફરીયાદ નોંધાવવા માટે : click here
Offline ફરીયાદ : (૧) ઇ-મેઇલ દ્વારા (b) પત્ર (પોષ્ટ) દ્વારા (c) વીમા લોકપાલની કચેરીએ રૂબરૂ જઇને પણ નોંધાવી શકો છો. વીમા લોકપાસ કચેરીનું સરનામું જોવા માટે (click here for details) centres, email id, address and jurisdiction.
નોંધાવેલી ફરીયાદને જોવા માટે (For tracking) click here
Vima lokpal office & e-mail address :-
હાલ વીમા લોકપાલ કાર્યાલય નીચેના રાજ્યોમાં કાર્યરત છે.
ક્રમ | વીમા લોકપાલ કાર્યાલય | સંબંધિત રાજ્ય | ઇમેઇલ એડ્રેસ |
---|---|---|---|
1 | અમદાવાદ | ગુજરાત | bimalokpal.ahmedabad@cioins.co.in |
2 | બેંગલુરૂ | કર્ણાટક | bimalokpal.bengaluru@cioins.co.in |
3 | ભોપાલ | મધ્યપ્રદેશ | bimalokpal.bhopal@cioins.co.in |
4 | ભુવનેશ્વર | ઓરિસ્સા | bimalokpal@cioins.co.in |
5 | ચંદીગઢ | હરિયાણા – પંજાબ | bimalokpalbhubaneshwar@cioins.co.in |
6 | ચેન્નઇ | તામિલનાડુ | bimalokpal.chennai@cioins.co.in |
7 | દિલ્હી | દિલ્હી | bimalokpal.delhi@cioins.co.in |
8 | ગુવાહાટી | આસામ | bimalokpal.guwahati@cioins.co.in |
9 | હૈદરાબાદ | આંધ્રપ્રદેશ | bimalokpal.hydarabad@cioins.co.in |
10 | જયપુર | રાજસ્થાન | bimalokpal.jaipur@cioins.co.in |
11 | એર્નાકુલમ – કોચી | પોંડીચીરી | bimalokpal.ernakulam@cioins.co.in |
12 | કોલકાત્તા | પશ્ચિમ બંગાળ | bimalokpal.kolkata@cioins.co.in |
13 | લખનઉ | ઉત્તર પ્રદેશ | bimalokpal.lucknow@cioins.co.in |
14 | મુંબઇ | મહારાષ્ટ્ર | bimalokpal.mumbai@cioins.co.in |
15 | નોઇડા | ઉત્તર પ્રદેશ | bimalokpalnoida@cioins.co.in |
16 | પટણા | બિહાર | bimalokpal.patna@cioins.co.in |
17 | પુના | મહારાષ્ટ્ર | bimalokpalpune@cioins.co.in |
Where to file a complaint against insurance Company [ફરીયાદ નિવારણ માટે ફરીયાદ ઓનલાઇન કરવા માટેની વિગત] :
- વીમા લોકપાલ ધારો, ર૦૧૭ ને લગતી ઉપયોગી માહિતી તથા ફરીયાદ કરવાની પ્રક્રિયાની જાણકારી માટે તથા આપની વીમા પોલીસી અંગેની કોઇપણ સમસ્યાના નિવારણની વધુ માહિતી મેળવવા તેમજ વીમા પોલીસી સંબંધિત ફરીયાદના નિવારણ માટે વીમા લોકપાલની વેબસાઇટ www.cioins.co.in ના ઓનલાઇન ફરીયાદ નોંધાવી શકો છો. વીમા સંબંધિત ફરીયાદો નિઃશુલ્ક કરી શકાય છે. તેમજ વીમા લોકપાલ કાર્યાલય દ્વારા પણ કોઇ ફી લેવામાં આવતી નથી.
- વીમા લોકપાલ કાર્યાલયને ઓનલાઇન ફરીયાદ કર્યા પછી કાર્યાલય દ્વારા સુનાવણી યોજવામાં આવે છે અને વ્યથિત વીમાદારોની ફરીયાદોનું નિવારણ કરવામાં આવે છે.
Vima Lokpal Day
તા. ૧૧-૧૧-ર૦ર૪ ના રોજ વીમા લોકપાલ દિવસ યોજાયેલ છે.
Vima Lokpal Advertisement |

વીમા લોકપાલ સંસ્થા શું છે ?
ભારતમાં લેવામાં આવતી વીમા અંગેની સમસ્યાઓનું નિવારણ કરવા માટેની ભારત સરકારની સંસ્થા છે.
વીમા અંગેની ફરીયાદ વીમા લોકપાલને કઇ રીતે કરી શકાય છે ?
વીમા લોકપાલની વેબસાઇટ www.cioins.co.in ના ઓનલાઇન ફરીયાદ ફાઇલ કરી શકાાય છે.
ફરીયાદ નોંધાવવા માટે કોઇ ફી ચુકવવાની થાય છે ?
નિઃશુલ્ક / કોઇ ફી ચુકવવાની થતી નથી.