Namo Sarasvati Yojana 2024

Namo Sarasvati Yojana 2024 Gujarat : ગુજરાત સરકારશ્રીએ ચાલુ નાણાંકીય વર્ષ 2024-25 માં ધોરણ-૧૦ પછી વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ વધુમાં વધુ પ્રવેશ મેળવે તે હેતુથી નમો સરસ્વતિ યોજના અંતર્ગત વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ બજેટમાં જાહેર કરેલ છે.

Motive of Namo Sarasvati Yojana 2024 : આ યોજનાના કારણે ધોરણ-૧૦ પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં વધુમાં વધુ પ્રવેશ મેળવે, જેથી રાજ્યમાં ઇજનેરી અને મેડીકલ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે અને તેઓના જ્ઞાનમાં વધારો થાય અને એ રીતે રાજ્ય તથા દેશના વિકાસમાં સહભાગી બને. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ માં પ૦ ટકાથી વધુ ટકા મેળવે અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે ત્યારે પ્રતિ વર્ષ વિજ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપનો લાભ મળશે.

Details of Namo Sarasvati Yojana 2024

યોજનાનું નામનમો સરસ્વતિ વિજ્ઞાન સાધના યોજના
યોજનાની જાહેરાતતા. 02/02/2024 Annual Budget 2024-25
યોજનાનો હેતુધોરણ-૧૦ બાદ વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે.
યોજના જાહેર કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાનો ઠરાવ સરકાર દ્વારા પ્રસિદ્ધ થયા તારીખશિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
ઠરાવ ક્રમાંક : ઇડી/એમઆઇએસ/ઇ-ફાઇલ/૩/ર૦ર૩/પ૦૭૩/છ, તા.૧ર-૩-ર૦ર૪
2024-25 માં આ યોજના હેઠળનો કુલ ખર્ચવર્ષ 2024-25 માટે અંદાજીત રૂ. 250 કરોડનું ખર્ચનું અનુમાન થયેલ છે.
કુલ લાભાર્થીઆગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનારની સંખ્યા ર થી પ લાખ થવાનો અંદાજ છે.
યોજનાના લાભાર્થીધોરણ-10 બાદ ધોરણ-11 માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ
સહાયની રકમકુલ રૂ. 25,000/–
વાર્ષિક આવકસરકારશ્રી દ્વારા વાર્ષિક આવક નક્કી કરવામાં આવશે.
અરજી કરવાનું માધ્યમઓફલાઇન / ઓનલાઇન
વેબસાઇટhttps://www.digitalgujarat.gov.in/

Namo Sarasvati Yojana 2024-25 Eligibility Criteria

  • ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષામાં પ૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અથવા સ્વ-નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહનાં પ્રવેશ મેળવેલ હોવો જોઇશે.
  • સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળામાં ધો. ૯ અથે ૧૦ માં અભ્યાસ કર્યો હોવો જોશે.
  • માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળામાં ધોરણ-૯ અને ૧૦ પૈકી બન્ને કે કોઇ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને તેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોવી જોઇશે.

Benefit of Namo Sarasvati yojana 2024 [Vigyan Sadhana Merit Scholarship]

ધોરણ 11 માટે 10,000/-
ધોરણ 12 માટે 15,000/-
  • ધોરણ-૧૧ અને ૧ર ના મળી કુલ રૂ. રપ૦૦૦/- સહાય ચૂકવાશે.
  • ધોરણ-૧૧ માટે રૂ. ૧૦,૦૦૦/- અને ધોરણ-૧ર માટે ૧પ૦૦૦/- વાર્ષિક મળશે.
  • ધોરણ-૧૧ અને ૧ર ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૧૦૦૦/- મુજબ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- એ પ્રમાણે બે વર્ષના રૂ. ર૦૦૦૦/- ચૂકવાશે જ્યારે બાકીના રૂ.પ૦૦૦/- ધોરણ-૧ર બોર્ડની પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર થશે..

Namo Sarasvati Yojana Gujarat Required Documents

  • ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં પ૦ ટકા કે તેથી વધુ ટકા મેળવ્યા હોવા બદલની માર્કશીટની નકલ.
  • ધોરણ-11 કે 12 માં અભ્યાસ કરતા હોવાનો પુરાવો.
  • ગત વર્ષની માર્કશીટની નકલ.
  • શાળા ઓળખપત્રની ઝેરોક્ષ નકલ.
  • માતા-પિતા કે વાલીની વાર્ષિક આવકનો દાખલો.
  • આધાર કાર્ડ
  • ગુજરાતમાં વસતા હોવાનું પ્રમાણપત્ર
  • જન્મ તારીખનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર
  • રાષ્ટ્રીયકૃત બેન્કના ખાતાના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ.

Procedure for payment of assistance amount [સહાયની રકમની ચુકવણીની પ્રક્રિયા]

  • સહાય યોજનાના સંચાલન માટે નમો સરસ્વતિ પોર્ટલ બનાવાશે.
  • સહાયની ચુકવણી નિયામકશ્રી શાળાઓ દ્વારા ડી.બી.ટી. માધ્યમથી વિદ્યાર્થીની માતાના બેન્ક ખાતામાં જમા અપશે. વિદ્યાર્થીની માતા હયાત ન હોય તે કિસ્સામાં તે રકમ વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમા અપશે.
  • સંબંધિત શાળા વિદ્યાર્થીની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS (ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ) પોર્ટલમાં કરશે.
  • પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓની યાદી નમો સરસ્વતિ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
  • પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાની ચકાસણીને અંતે જૂન માસમાં સહાયની રકમ જમા અપાશે અન્યથા મોડામાં મોડા જુલાઇ માસમાં જુન, જુલાઇની સહાયની રકમ એક સાથે બેન્કમાં જમા અપાશે.
  • બાકીની સહાયની રકમ જે તે મહિનાની ૧૦ તારીખ સુધી બેન્ક ખાતામાં જમા અપાશે.
  • જે વિદ્યાર્થીની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ ૮૦ ટકા જળવાતી નહીં હોય તેવા વિદ્યાર્થીને સહાય બંધ કરવામાં આવશે.

Apply Online For Namo Sarasvati Yojana Gujarat 2024

આ યોજનાનું અમલીકરણ નિયામકશ્રી શાળાઓ દ્વારા કરવામાં આવનાર છે. આ યોજના હેઠળ વિદ્ર્થીઓની નોંધણી શાળા દ્વારા કરવાની રહે છે.

નમો સરસ્વતિ યોજનાનો લાભ કેટલા લાભાર્થીને મળશે ?

આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે ર થી પ લાખ થવાની ધારણા છે.

આ યોજનાનો અમલ ક્યારથી થશે ?

સરકારશ્રીએ વર્ષ 2024-25 ના બજેટમાં જાહેરાત કરેલ છે.

આ યોજનાનો ખર્ચ કેટલો થશે ?

વર્ષ 2024-25 માં આ યોજનાનો ખર્ચ રૂ. 250 કરોડ અંદાજવામાંં આવેલ છે.

કયા ધોરણના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે ?

આ યોજનાનો લાભ ધોરણ 11 અને 12 ની વિદ્યાર્થીઓને લાભ મળવાપાત્ર થશેે.

કુલ કેટલી રકમની સહાય મળશે ?

ધોરણ 11 થી 12 દરમ્યાન કુલ રૂ. 25000/- ની સહાય મળશે.

ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષા કઇ સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લાભ મળશે ?

સરકારી, બિન સરકારી, અનુદાનિત કે કોઇપણ સ્કૂલમાં અભ્યાસ કરતાં અને ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં પ૦ ટકા કે તેથી વધુ ટકા મેળવનાર અને ધોરણ-૧૧ માં વિજ્ઞાન પ્રવાહનમાં પ્રવેશ મેળવનારને આ સ્કોલરશીપનો લાભ મળશે.

આ યોજનાનો લાભ કુમાર કે કન્યાને મળશે ?

કુમાર તથા કન્યા બન્નેને આ યોજનાનો લાભ મળશે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment