Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Palak Mata Pita Yojana 2025 | પાલક માતા પિતા સહાય યોજના | આ યોજના હેઠળ મળશે રૂ. 36000/-

Palak Mata Pita Yojana 2025 ગુુુુુજરાત રાજ્યમાં વસતા દંપતિઓ પૈકી પતિ કે પત્નિ કે દંપત્તિ અવસાન પામવાના કિસ્સામાં તેમના બાળકો અનાથ બને છે, આવા બાળકોના ભરણ પોષણ અને અભ્યાસનો ખર્ચ કેવી રીતે તેના વાલીઓએ કરવો, તેેેમજ વાલીઓ જો આવા અનાથ, નિરાધાર બાળકોનો ખર્ચ ઉપાડી ન શકે તો આવા બાળકો અનાથ નિરાધાર બને અને તેઓનો શારીરીક, માનસિક વિકાસ થઇ શકે નહીં. જેથી આવા કિસ્સાઓ માટે રાજ્ય સરકાર દ્વારા પાલક માતા પિતા સહાય યોજના અમલમાં મૂકેલ છે અને આવા અનાથ નિરાધાર બાળકના પાલન પોષણ માટે રાજ્ય સરકાર દ્વારા તેઓના વાલીઓને માસિક રૂ. 3000/- જેટલી સહાય DBT મારફતે ચૂકવવામાં આવે છે.

રાજ્યમાં નિરાધાર, અનાથ, તરછોડાયેલા, કુટુંંબ વિનાના અથવા કોઇપણ પ્રકારની તકલીફમાં મૂકાયેલા બાળકોના રક્ષણ માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચાલે છે. જ્યારે બાળકના માતા-પિતા મૃત્યુ પામેલ હોય, બાળકોના અધિકારોનું હનન થાય, શારીરિક અથવા માનસિક અત્યાચાર થાય કે અન્ય કોઇપણ રીતે શોષણ થતું હોય ત્યારે બાળક ચિલ્ડ્રન હોમમાં રહી શકે છે. જ્યાં તે બાળક મફત શિક્ષણ મેળવીશકે છે.

Foster Parent Scheme 2025 પાલક માતા પિતા સહાય યોજનામાં લાભ કોને મળી શકે, કેવી રીતે અરજી કરવી, અરજી સાથે કયા કયા દસ્તાવેજો સામેલ રાખવા, સહાય ક્યારે મળશે ? વગેરે બાબતો જોઇએ.

Table of Contents

Palak Mata Pita Yojana 2025 Overview :

યોજના વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
યોજનાનું નામપાલક માતા પિતા સહાય યોજના
અમલીકરણ ખાતાના વડાનિયામક, સમાજ સુરક્ષા ખાતુ, ગુજરાત રાજય
અમલીકરણ કચેરીઓજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી
સત્તાવાર વેબસાઇટhttps://sje.gujarat.gov.in
ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in/

પાલક માતા પિતા સહાય યોજનામાં લાભ કોને મળી શકે : પાત્રતાના ધોરણો.

  • આ યોજના હેઠળ ફક્ત ગુજરાત રાજ્યના અરજદારો જસહાય માટે પાત્ર ગણાશે.
  • જે બાળકના માતા અને પિતા બન્ને અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા 0 થી 18 વર્ષની ઉંમરના બાળકોની સંભાળ રાખતા નજીકના સગા, વાલી કે સંબંધીને માસિક રૂ. 3000/- DBT મારફતે સહાય ચૂકવવામાં આવે છે.
  • પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 27000/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ. 36000/-થી વધારે ન હોવી જોઇએ.
  • પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ 03 થી 06 વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવાનો છે અને 06 વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.
  • દર વર્ષે અભ્યાસ ચાલુ હોવાનું શાળા / સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજુ કરવાનું છે.
  • પાલક માતા-પિતા યોજના હેઠળ ધોરણ 10 માં નાપાસ થયેલ હોય તેવા શાળાએ ન જતાં ઘરેથી આપમેળે તૈયાર કરી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપતાં 18 વર્ષથી નીચેના રીપીટર વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે.

પાલક માતા-પિતા સહાય માટે અરજી સાથે જોડવાના દસ્તાવેજો :

પાલક માતા-પિતા યોજના માટે અરજી સાથે નીચે મુજબના દસ્તાવેજો જોડવાના રહે છે.

  • બાળકનો જન્મનો દાખલો/ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક.
  • બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ.
  • જે કિસ્સામાં બાળકના પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુનઃ લગ્ન કરેલ હોવા અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણી પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીના દાખલા પૈકી કોઇપણ એક રજુ કરવાનું છે.
  • પુનઃ લગ્ન અંગેનો પુરાવો.
  • આવકના દાખલાની નકલ.
  • પાલક માતા-પિતા અને પાલ્ય બાળકના સંયુક્ત ખાતાની પ્રમાણિત નકલ.
  • બાળકના આધાર કાર્ડની નકલ.
  • પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ.
  • બાળક હાલ જે ધોરણમાં અભ્યાસ કરતા હોય તેના પ્રમાણપત્રની નકલ.
  • પાલક માતા-પિતા પૈકી કોઇ એકના આધારકાર્ડની નકલ.

પાલક માતા-પિતા યોજનાનું અમલીકરણ :

  • રાજ્ય કક્ષાએથી નિયામક સમાજ સુરક્ષા ખાતુ, ગાંધીનગરના નિયંત્રણ હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી / જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી મારફત આ યોજનાનું અમલીકરણ થાય છે.
  • આ યોજના હેઠળ સહાય મેળવવા ઓનલાઇન અરજી e samaj Kalyan Portal દ્વારા કરવામાં આવે છે.
  • યોજના અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી / જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક સાધવાનો રહે છે.
  • જિલ્લાસ્તરે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અધ્યક્ષસ્થાને રચાયેલ સ્પોન્સરશીપ એન્ડ એપ્રુવલ સમિતિ (SFCAC) દ્વારા રજુ થયેલ અરજીઓનીસમીક્ષા કરી સરકારના નિયમોનુસાર પાત્રતા ધરાવતા પાલક માતા-પિતાને સહાય ચુકવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવે છે.

How to Apply Online Palak Mata Pita Yojana :

પાલક માતા-પિતા સહાય યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી, તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google WEb Browser પર ક્લિક કરી સર્ચમાં e-samaj Kalyan Portal ટાઇપ કરીને Enter બટન દબાવવું.
  • જેથી e samaj Kalyan Portal નું હોમપેજ ખુલશે.
  • ત્યારબાદ Director Social Defense પર ક્લિક કરવું.
  • ઓપન થયેલ વિન્ડોમાં પાલક માતા-પિતા યોજના પર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી વાંચી લેવાની છે.
  • e samaj Kalyan Portal પર જો USer ન બનેલ હોય તો Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ સીટીઝન લોગીન બન્યા બાદ યુઝર આઇ.ડી., પાસવર્ડ અને કેપ્ચા કોડ નાંખીને લોગીન થવાનું રહેશે.
  • લોગીન થયા બાદ એમાં નિયામક સમાજ સુરક્ષા ટેબલમાં આપેલા પાલક માતા પિતા યોજના પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં વ્યક્તિગત માહિતી, બાળકની માહિતી, બાળકના સગા ભાઇ-બહેનની માહિતી ભરવાની છે.
  • માંગ્યા મુજબના દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરવાના છે.
  • ત્યારબાદ એકરાર ફોર્મ ભરીને અરજીને સેવ અને કન્ફર્મ કરવાની છે.
  • અરજીની પ્રિન્ટ કાઢી લો.
  • અરજીની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે.

ઓનલાઇન અરજી કર્યા બાદ અરજી /સહાય મંજુર કે નામંજુર થવાની પ્રક્રિયા :

  • ઓનલાઇન અરજી સબમીટ થયા બાદ સમાજ સુરક્ષા કચેરીના અધિકારી અરજદારના ઘરે તપાસ માટે આવશે અને તેઓ પાડોશીઓ સાથે બેસીને પંચનામું કરશે.
  • જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આપની અરજી મંજુર કે નામંજુર થઇ તે વિશે જણાવશે.
  • અરજી મંજુર થઇ હશે તો થોડાક જ દિવસમાં અરજદારના સરનામા પર પોષ્ટ દ્વારા સહાય મંજુરીનો હુકમ આપવામાં આવશે અને તે માસથી સહાય શરૂ થયેલી છે, તેમ માનવાનું રહેશે.

Palak Mata Pita Yojana Important Links :

Online ApplyClick Here
Official WebsiteClick Here
Child Protection SocietyClick Here
પાલક માતા-પિતા સહાય યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરવા માટેClick Here
Child Help Line1098
Crime Stopper HelpLine1090
Rescue &Relief Helpline1070
Women Helpline181
Ambulance Helpline108, 102
Police Helpline100

FAQ

પાલક માતા-પિતા યોજનાનો લાભ કોને મળશે ?

ફક્ત ગુજરાત રાજ્યના અરજદારોને આ યોજનાનો લાભ મળશે.

પાલક માતા-પિતા યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

અરજી કરવાના પાત્રતાના માપદંંડ અનુસાર અરજદારો વર્ષમાં ગમે ત્યારે અરજી કરી શકે છે.

પાલક માતા-પિતામાં કયા કયા વાલીઓનો સમાવેશ થાય છે ?

દાદા-દાદી, કાકા-કાકી, પિતરાઇ ભાઇ-બહેન અને માસીનો સમાવેશ થાય છે.

દત્તક લીધેલ બાળક આ સહાય માટે પાત્રતા ધરાવે છે ?

અનાથાશ્રમમાંથી દત્તક લીધેલ બાળક આ યોજના હેઠળ સહાય મેળવવા પાત્ર રહેશે નહીં.

પાલક માતા-પિતા યોજના હેઠળ ક્યાં સુધી સહાય મળે છે ?

બાળક અભ્યાસ કરી રહ્યું હોય અને ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધી તેને સહાય મળવાપાત્ર છે.
બાળક ૧૮ વર્ષથી નાનુ હોય અને શાળા – અભ્યાસ છોડી દે તો સહાય મળવાપાત્ર રહેશે નહીં.
આ યોજના હેઠળ પાલ્યને ૧૮ વર્ષ સુધી જ સહાય મળવાપાત્ર રહેશે.
– જે બાળકોને આવા જ પ્રકારની રાજ્ય કે કેન્દ્રની અન્ય કોઇ યોજનાઓનો લાભ મેળવતા હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.
– જો બાળકની માતાએ પુનઃ લગ્ન કરેલ હોય અને બાળક માતા સાથે રહેવા જાય તેવા સંજોગોમાં સહાય બંધ થશે.

જો કોઇ કારણસર લાભાર્થીના બેન્ક ખાતામાં એક મહિનાની રકમ જમા ન થાય તો આ યોજના હેઠળ સહાય મળતી બંધ થઇ ગઇ ગણાય ?

કોઇ કારણસર લાભાર્થીના બેન્ક ખાતામાં એક મહિનાની સહાય રકમ જમા ન થાય તો બે મહિનાની એકત્રિત સહાય આગામી સહાય ચૂકવવામાં આવશે અને સહાય ચાલુ રહેશે.

પાલક માતા પિતા સહાય યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે ?

દર માસે રૂ. ૩૦૦૦/- સહાય મળવાપાત્ર છે અને વાર્ષિક રૂ. ૩૬૦૦૦/- સહાય મળવાપાત્ર છે.

પાલક માતા-પિતા યોજના કોના માટેની યોજના છે ?

ગુજરાત રાજ્યમાં નિરાધાર, અનાથ કે જે બાળકના માતા-પિતા કે પિતા ન હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા માટેની યોજના છે.

પાલક માતા-પિતા યોજના માટે કઇ કચેરીનો સંપર્ક સાધવાનો રહે છે ?

જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા / જિલ્લા બાળ સુરક્ષા અધિકારીનો સંપર્ક સાધવાનો રહે છે.

પાલક માતા-પિતા સહાય માટે કેવી રીતે અરજી કરવાની હોય છે ?

ઓનલાઇન અરજી ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી કરવાની હોય છે.

પાલક માતા-પિતા યોજના હેઠળ સહાય મળ્યા બાદ વાલીઓએ કેવી રીતે ખર્ચ કરવાનો હોય છે ?

પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ ૩ થી ૬ વર્ષની ઉંમરના બાળકને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને ૬ વર્ષથી મોટી ઉંમરના બાળકને ફરજીયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે.

જે જિલ્લામાં ચિલ્ડ્રન હોમ કાર્યરત નથી તેવા જિલ્લામાં યોજનાના ફોર્મ સ્વીકારવાની છે અને આગળની કાર્યવાહી કરવાની અને ચુકવણાની જવાબદારી કોની છે ?

યોજનાના ફોર્મ સ્વીકારવાની જવાબદારી જિલ્લા બાળ સુરક્ષા એકમની રહેશે અને ચુકવણાની જવાબદારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની રહેશે.

પાલક માતા-પિતા યોજનાનો જિલ્લામાં બહોળો પ્રચાર કરવાની જવાબદારી કોની છે ?

જિલ્લામાં બહોળો પ્રચાર – પ્રસાર કરવાની જવાબદારી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની રહેશે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment