Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2024

Mukhymantri Gaumata Poshan Yojana 2024 : પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજના 2024

૧.કોને સહાય મળવાપાત્ર થશે ?પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા / પાંજરાપોળ
ર.કેટલી સહાય મળવાપાત્ર થશે ?પશુદીઠ પ્રતિદિન રૂ. ૩૦/- ની સહાય
વધુમાં વધુ ૩૦૦૦ ફકત ગાય અને ભેંસ વર્ગના પશુઓની સંખ્યાની મર્યાદામાં
૩.વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
૪.અમલીકરણ એજન્સીગુજરાત ગૌસેવા આયોગ / બોર્ડ, ગાંધીનગર https://gauseva.gujarat.gov.in/
પ.કેવી રીતે અરજી કરવી ?Online માધ્યમથી
૬.કઇ વેબસાઇટ પર અરજી કરવી ?I-Khedut Portal પર અરજી કરવાની રહેશે.
૭.કયારથી ક્યાં સુધી અરજી કરી શકાશે ?તા.૧-૨-ર૪ થી તા.૧પ-૨-ર૪ સુધીમાં.
૮.કયા સમયગાળાની સહાય મળવાપાત્ર થશે ?ત્રિમાસિક સમયગાળા માટે.
હાલ : જાન્યુઆરી-ર૪ થી માર્ચ-ર૪ સુધીના સમયગાળા માટે.

પ્રસ્તાવના :-

        ગુજરાત રાજ્યમાં ગૌશાળા / પાંજરાપોળ દ્વારા પ્રાણી કલ્યાણની ભાવનાથી ગાય અને ભેંસ વર્ગના પશુઓને નિભાવવાની કામગીરી તેઓને મળતા દાન અને સેવા પેટે મળતી સહાયમાંથી નિભાવ અને જાળવણીની કામગીરી કરે છે. કોરોનાકાળ દરમ્યાન દાન અને સહાયનો પ્રવાહ ઘટતા રાજ્ય સરકાર દ્વારા આવી સંસ્થાઓને ગૌવંશના પોષણ, નિભાવ અને આશ્રય માટે દૈનિક સહાય આપવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જે માટે રાજ્ય સરકારશ્રીએ પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા / પાંજરાપોળના ગૌવંશના પોષણ, નિભાવ અને આશ્રય માટે મુખ્યમંત્રીશ્રી ગૌમાતા પોષણ યોજના અમલમાં મૂકેલ છે.  જેને ચાલુ વર્ષમાં રૂ. પ૦૦/- કરોડની વહીવટી મંજુરી આપવામાં આવેલ છે.

યોજનાનો ઉદ્દેશ :-

રાજ્યમાં પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા / પાંજરાપોળમાં રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓના નિભાવ માટે સહાય આપી આર્થિક રીતે મદદરૂપ થવાનો આ યોજનાનો ઉદ્દેશ્ય રહેલ છે.

સહાયનું ધોરણ :-

  • પશુદીઠ પ્રતિદિન રૂ. ૩૦/- ની સહાય આપવામાં આવશે.
  • કોઇપણ સંસ્થાને વધુમાં વધુ ૩૦૦૦ ફકત ગાય અને ભેંસ વર્ગના પશુઓની સંખ્યાની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.
  • એકજ રજીસ્ટ્રેશન ધરાવતી મૂળ સંસ્થા હોય પરંતુ અન્ય જગ્યા ખાતે પણ પશુધન ધરાવતા હોય તો દરેક શાખા દીઠ ૩૦૦૦ પશુની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે જેના માટે અન્ય શાખા/શાખાઓ અંગેના જરૂરી આધારો રજૂ કરવાના રહેશે.

સંસ્થાઓની નોંધણી :-

  • ફક્ત ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટેની નિભાવ સહાય જે તે સંસ્થા આપવામાં આવશે, વ્યક્તિગત ધોરણે નિભાવતા પશુઓ માટે સહાય મળશે નહિં.
  • (અ) સંસ્થા મુંબઇ પબ્લિક ટ્રસ્ટ એકટ, ૧૯પ૦ / ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ, ર૦૧૧ હેઠળ નોંધાયેલી હોવી જોઇએ.
  • (બ) સંસ્થાની નોંધણી તા.૩૧-૩-રર પહેલા થયેલી હોવી જોઇએ અને તે અંગેનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઇએ.
  • (ક) પશુઓના પ્રમાણમાં તેઓની સારવાર અને માવજત માટે જરૂરી સાધનો અને વ્યવસ્થા હોવી જોઇએ.

સંસ્થાઓની નોંધણી માટેની અરજીની કાર્યપધ્ધતિ :-

  • આ યોજનાનો લાભ લેવા માંગતી સંસ્થાએ નિયત નમૂનામાં ખેડૂત-આઇ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • ઓનલાઇન અરજીની પ્રિન્ટ તેના બિડાણસહ લઇ દિન-ર૧ માં સંબંધિત જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત કચેરી ખાતે રજૂ કરવાની રહેશે, જો તેમ કરવામાં નહીં આવે તો અરજી રદ થશે.
  • સહાય મેળવવા માટેની અરજીઓની ચકાસણી સંબંધિત જિલ્લાના કલેકટર નક્કી કરે તેવા વર્ગ-૧ કક્ષાના અધિકારી/સમિતિ દ્વારા કરવામાં આવશે.
  • ચકાસણી મુજબ લાયક સંસ્થાઓની પશુઓની સંખ્યા સાથે જિલ્લા કક્ષાની સમિતિને ભલામણ કરશે.
  • ઉક્ત ભલામણ મુજબ ૧,૦૦૦ પશુ સુધીની સંખ્યા ધરાવતી સંસ્થા માટે સહાયની પાત્રતા નક્કી કરી સહાય અંગેનો નિર્ણય જિલ્લા કક્ષાની સમિતિ કરશે.
  • ૧૦૦૦ થી વધુ પશુઓની સંખ્યા ધરાવતી સંસ્થાઓ માટે સહાયની પાત્રતા નક્કી કરી સહાય અંગેનો નિર્ણય રાજ્ય કક્ષાની સમિતિ કરશે.
  • આવી ચકાસણી/નિર્ણય થયેલી દરખાસ્તો નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયતની કચેરી દ્વારા ઠરાવની શરતો ધ્યાને લઇ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી જિલ્લા કક્ષાની સમિતિના હુકમો / ભલામણો ગુજરાત ગૌસેવા આયોગ / બોર્ડને મોકલી આપશે.

અરજી સાથે સામેલ રાખવાના કાગળો :-

૧.સંસ્થાના રજીસ્ટ્રેશનની પ્રમાણિત નકલ.
ર.સંસ્થાની જમીન અંગેના ૭/૧ર, ૮-અ અને ૬ હક્ક પત્રકના ઉતારાની અદ્યતન સ્થિતિએ કઢાવેલી નકલ.
૩.   સંસ્થાની બેન્ક પાસબુકની ઝેરોક્ષ નકલ. (ઝેરોક્ષ નકલ બેન્કના સહી સિક્કા સાથે તથા સંસ્થાના રાઉન્ડ સીલ – સ્ટેમ્પ તથા હિસાબ સંભાળતા વ્યક્તિની સહી)
૪.સંસ્થાના લેટરહેડ પર એકાઉન્ટનું સંચાલન કરતા હોય તેવા વ્યક્તિનું નામ, મોબાઇલ નંબર તથા આધારકાર્ડ નંબરની વિગત રજૂ કરવી અને આધારકાર્ડની ઝેરોક્ષ નકલ બિડાણ કરવી.
પ.બાંહેધરી પત્ર : સંસ્થાના સહી કરનાર ટ્રસ્ટીએ પોતાનું પુરૂં નામ, મોબાઇલ નંબર, આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ સાથેની વિગત સંસ્થાના લેટર હેડ પર આપવાની રહેશે.
૬.સંસ્થાના ટ્રસ્ટીઓના નામ – સરનામા.
૭.સંસ્થાનું બંધારણ અને પેટા કાયદાની નકલ.
૮.સંસ્થાના છેલ્લા ત્રણ વર્ષના ઓડીટ રીપોર્ટની નકલ.
૯.સંસ્થાના છેલ્લા ત્રણ વર્ષમાં થયેલ ખર્ચની વિગત.

પાત્ર સંસ્થાઓ ખાતે પશુઓની સંખ્યાની ખરાઇ / ચકાસણીની કાર્યપધ્ધતિ :-

  • પાત્ર સંસ્થાઓ ખાતે હયાત પશુઓની સંખ્યાની ચકાસણી તાલુકા કક્ષાની સમિતિ/અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી ખાતરી કરશે.
  • સ્થળ તપાસ દરમ્યાન વિડિયોગ્રાફી / ફોટોગ્રાફી અને અન્ય આનુષાંગિક પુરાવા સાથે હયાત પશુઓની સંખ્યા સહિતની જરૂરી વ્યવસ્થાની ખરાઇ કર્યાની વિગતો અંગેના અભિપ્રાય સહિત જિલ્લા કક્ષાની સમિતિને રજૂ કરશે.
  • જેને ધ્યાને લઇ મળવાપાત્ર પશુઓની સંખ્યા જિલ્લા / રાજ્ય કક્ષાની સમિતિ દ્વારા સહાયની રકમ નક્કી કરશે.

સહાય મંજુર કરવાની કાર્યપધ્ધતિ :-

યોજનાના સુચારૂ અમલીકરણ માટે પાત્રતા ધરાવતી ગૌશાળા / પાંજરાપોળ માટેની સમિતિઓ.

(૧)    તાલુકા કક્ષાની સમિતિ :-

        મામલતદારના અધ્યક્ષ પદે ૩ સભ્યની સમિતિ.

(ર)     જિલ્લા કક્ષાની સમિતિ :-

        કલેકટરના અધ્યક્ષપદે ૪ સભ્યની સમિતિ

(૩)    રાજ્ય કક્ષાની સમિતિ :-

        અધિક મુખ્ય સચિવ / અગ્ર સચિવ / સચિવશ્રી (પશુપાલન) ના અધ્યક્ષપદે ૪ સભ્યની સમિતિ.

  • સહાય મેળવવા અરજી કરેલ સંસ્થાની સ્થળ ચકાસણીની તારીખે સંસ્થા ખાતે નો;ધાયેલ અથવા હયાત પશુઓની સંખ્યા, આ બે પૈકી જે ઓછું હોય તેટલા પ્રમાણમાં સહાય મળવાપાત્ર થશે.
  • તાલુકા કક્ષાની સમિતિ સહાય પાત્ર પશુઓની સંખ્યાની ચકાસણી કર્યા બાદ જિલ્લા સમિતિને રજૂ કરશે, જેના આધારે કલેકટરશ્રીએ વિગતવાર સહાય માટેનો હુકમ ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડને મોકલશે.
  • ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા સહાયની રકમ જે તે લાભાર્થી સંસ્થાના બેન્ક ખાતામાં ડી.બી.ટી. થી સીધી જમા કરશે.

ઓનલાઇન અરજી કર્યા બાદની કામગીરી :-

ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ લઇ અરજીના પ્રિન્ટ લઇ અરજીના પ્રિન્ટ આઉટના બિડાણમાં રાખવાના જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન-ર૧ માં નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયતની કચેરી ખાતે અરજી રજૂ કરવાની રહેશે.

સંસ્થાએ કરવાની થતી કામગીરી :-

  • આ યોજનાની સહાય માટે લાયક સંસ્થાએ અલગથી બેન્ક એકાઉન્ટ ખોલાવવાનું રહેશે.
  • મળેલ સહાયની રકમના ખર્ચના પ્રમાણપત્રો તાલુકા કક્ષાની સમિતિ મારફતે જિલ્લા કક્ષાની સમિતિને રજૂ કરવાના રહેશે.
  • સંસ્થા ખાતે પ્રતિદિન હયાત પશુઓની સંખ્યાની વિગત ઓનલાઇન રજૂ કરવાની રહેશે.
  • અધિકૃત કરેલ સરકારી અધિકારી જ્યારે પણ સ્થળ મુલાકાત કરે ત્યારે જે સહાય લેવામાં આવેલ હોય તેને અનુરૂપ પશુ સંખ્યાની સ્થળ પર હાજરી ફરજીયાત હોવી જોઇશે.
  • સંસ્થાના સ્થળે જ પશુને રહેવાની તતથા ખવડાવવાની વ્યવસ્થા હોવી જોઇએ.
  • સહાય મેળવતી સંસ્થાએ સ્થાનિક સ્વરાજની સંસ્થા દ્વારા મોકલાતા બિનવારસી ગૌવંશના પશુઓનો સ્વીકાર કરી ફરજીયાત નિભાવવાના રહેશે. જે સંસ્થા બિનવારસી પશુઓને સ્વીકારવાનો ઇન્કાર કરે અથવા યોગ્ય નિભાવ ના કરે તો જે તે સંસ્થા ખાતે નિભાવવામાં આવતા અન્ય પશુઓ માટે પણ સંસ્થા આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.
  • નિભાવવામાં આવતા પશુઓના જી.પી.એસ. એપ ધરાવતા કેમેરાથી સ્થળ, સમય અને તારીખ દર્શાવતા ફોટોગ્રાફ્સ ચકાસણી રજૂ સમયે રજૂ કરવાના રહેશે અને દેખરેખ માટે સી.સી.ટી.વી. કેમેરા રાખવાના રહેશે.
  • સંસ્થા દ્વારા તમામ પશુઓનું નિયત ઇયર ટેગ માર્કીંગ કરી, તેની નોંધણી સ્થાનિક સરકારી પશુ સારવાર સસ્થા મારફતે INPH PORTAL માં કરવાની રહેશે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment