અનુસૂચિત જાતિના સાહિત્યકારો, સર્જકો, સંશોષ્ધકો અને પી.એચ.ડી. ધારકોને અનુસૂચિત જાતિઓની વિવિધ સમસ્યાઓ સંબંધિત લખાણો અને સાહિત્યના પ્રકાશન માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડ અનુસૂચિત જાતિ સાહિત્ય પ્રકાશન રૂ. ૧૦,૦૦૦/- સુધીની સહાય યોજના સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે.
પાત્રતા :-
⦁ મહારાજા સયાજીરાવ ગાયકવાડ અનુસૂચિત જાતિ સાહિત્ય પ્રકાશન સહાય યોજના અન્વયે અનુસૂચિત જાતિઓની વિવિધ સમસ્યાઓ સંબંધિત મૌલિક લખાણો અને સાહિત્યના પ્રકાશન માટે જ સહાય મળી શકશે.
⦁ કોઇપણ અનુવાદ માટે સહાય મળી શકશે નહીં.
⦁ અગાઉ લાભ મળેલ હોય તેવી વ્યક્તિએ અરજી કરવાની રહેશે નહીં.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ અનુસૂચિત જાતિ સાહિત્ય પ્રકાશન સહાય યોજના લાભ મેળવવા માટેની શરતો :-
⦁ સહાય માટે પાત્ર ઠરેલી હસ્તપ્રત માટે વધુમાં વધુ રૂ.૧૦,૦૦૦/- ની મર્યાદામાં હસ્તપ્રતની પ૦૦ નકલોના મુદ્રણ અંગે કરેલા ખરેખર ખર્ચના ૭પ ટકા સહાય આપવામાં આવશે. પરંતુ કોઇપણ કિસ્સામાં સહાયની રકમ રૂ. ૧૦,૦૦૦/- થી વધશે નહીં. મંજુર કરાયેલ સહાયની રકમમાંથી કૃતિ પ્રકાશિત કરી તેના મુદ્રણ અંગેના વાઉચર નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને રજૂ કરવાના રહેશે.
⦁ પ્રગટ કરેલી નકલોની સંખ્યા પ૦૦ કરતાં ઓછી હોવી જોઇશે નહીં.
⦁ પ્રગટ કૃતિની ૧પ નકલો વિના મૂલ્યે નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાની રહેશે.
⦁ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારની નાણાંકીય સહાયથી પ્રકાશીત કર્યુ, તેવી ઋણ સ્વીકારની પંક્તિ અંદરના મુખ પૃષ્ઠની પાછળ સ્પષ્ટ રીતે છપાવવાની રહેશે.
⦁ પ્રગટ થતી કૃતિમાં કોઇ જાહેરાત કે કોઇ પ્રકારનો વેપાર વિષયક સંદેશો લઇ શકાશે નહીં તેમજ કોઇ વિવાદ ઉભો થાય કે સુરૂચિનો ભંગ થાય તેવું કે સરકારે પ્રતિબંધિત કર્યા હોય તેવા શબ્દો પ્રયોજીત કરી શકાશે નહીં.
⦁ આ યોજના હેઠળ સહાય મંજુર કરવામાં આવી હોય તેવી હસ્તપ્રતમાં નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની પૂર્વ મંજૂરી સિવાય કોઇ સુધારો કરી શકાશે નહીં.
⦁ હસ્તપ્રતની મંજુરીના હુકમની તારીખથી એક વર્ષમાં કૃતિ/પુસ્તક પ્રગટ કરવાનું રહેશે. સમય મર્યાદામાં કૃતિ / પુસ્તક પ્રગટ નહીં કરનારની સહાય આપોઆપ રદ થયેલી ગણાશે. નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણને પોતાને એમ કરવું જરૂરી જણાય તો સહાય મંજુર કરતા હુકમ શેઠળ ઉપર જણાવેલી શરતો ઉપરાંત બીજી શરતોનું પાલન કરવાનું આવશ્યક બનાવી શકશે.
⦁ હસ્તપ્રતની જોડણી સરકાર માન્ય ગુજરાત વિદ્યાપીઠની સાર્થ જોડણી કોશ પ્રમાણે રાખવાની રહેશે.
⦁ મળેલ સહાયની રકમ અન્ય કોઇ ખાનગી પ્રકાશન કે સંસ્થાને તબદિલ કરી શકાશે નહીં તથા તે માટેની આર્થિક સહાય અન્યત્રથી મેળવી શકાશે નહીં.
⦁ પુસ્તકના પ્રકાશન બાદ તેમાંના લખાણ સંબંધે કોઇપણ વિવાદ કે કાનૂની પ્રશ્નો ઉભા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી લેખકની રહેશે.
⦁ આ યોજના હેઠળ અગાઉ અનુસૂચિત જાતિના જે લેખકો, સાહિત્યકારો, સંશોધકો, સર્જકો અને પી.એચ.ડી. ધારકોને લાભ મળેલ છે તેઓને બીજીવાર આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ અનુસૂચિત જાતિ સાહિત્ય પ્રકાશન સહાય યોજનાનું અરજી પત્રક મેળવવાનું સ્થળ :
⦁ મહારાજા સયાજીરાવ ગાયકવાડ અનુસૂચિત જાતિ સાહિત્ય પ્રકાશન સહાય યોજનાનું નિયત નમૂનાનું અરજીપત્રક સંબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાંથી અથવા નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરીમાંથી અથવા વેબસાઇટ https://sje.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી મેળવી શકાશે.
અરજી પત્રક સાથે બીડવાના કાગળો :-
⦁ અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની નકલ.
⦁ આ યોજના અન્વયે નિયત કરવામાં આવેલ તમામ શરતો કાળજીપૂર્વક વાંચેલ છે અને તે કબુલ મંજુર છે તથા તમામ શરતો પરિપૂર્ણ કરવાની તથા આ યોજના હેઠળ સહાયની કોઇ રકમ આજદિન સુધી મળેલ નથી, તેની ખાત્રી આપતું એકરારનામું.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ અનુસૂચિત જાતિ સાહિત્ય પ્રકાશન સહાય યોજના મેળવવા માટે કોને અરજી કરવી :-
⦁ નિયત નમૂનાના અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો ભરી આધાર સહ તા.૧ર-ર-ર૦ર૪ સુધીમાં નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, બ્લોક નં. ૪/ર, ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગરને મોકલવાની રહેશે.